“હે લોકો, હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં, તમારી પૂર્વપરંપરાને અનુંસરીને છે એમ જાણીને પણ ખરું માનશો નહીં, આવું હશે એમ ધારી ખરું માનશો નહીં. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં. હું પ્રસિદ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણી ખરું માનશો નહીં પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો”
– ભગવાન બુદ્ધ