RSS

Monthly Archives: મે 2011

મનની શાંતિ માટે આટલું કરો


તમારી જાતને સુધારો,પારકી પંચાત કરવી નહી.

કડવા ઘૂંટડા ગળી જવા, ઇર્ષા કરવી નહી.

દેખા દેખીથી દુર રહેવું, ખોટી લાલચમાં આવવું નહી

વિચારીને બોલવું, શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું.

માગ્યા વિના કોઇને પણ સલાહ આપવી નહી.

તમારી સલાહને અનુસરે તેવી અપેક્ષા રાખશો નહી.

તમારી જરૂરીયાતો ઘટાડો,ઓછી જરૂરીયાતોમાં જીવતા શીખો,

કોઇની સાથે ખોટી દલીલબાજી કરવી નહી.

તમારા કોઇ ખોટા વખાણ કરે તેવી અપેક્ષા રાખશો નહી

વર્તમાનમાં જીવો, ભવિષ્યની ખોટી ચિંતા કરવી નહી.

વિકટ પરિસ્થિતિમાં શાંત રહેવું.

વિચાર,વાણી,વર્તનમાં એક રૂપતા રાખો.

સહન શીલતા કેળવો.

તમારી ફરજ પ્રત્યે સભાન રહો

દરેક જીવોને નિ:સ્વાર્થ પ્રેમ કરો

 
Leave a comment

Posted by on મે 28, 2011 માં વાર્તા

 

પ્રશ્નપત્ર – 9


1 આર્યો કઇ પ્રજાને નિષાદ કહેતા હતા ?

          A   દ્રવિડ                                  B   મોંગોલૉઇડ                 

         C   આર્મેનોઇડ                          D  ઑસ્ટ્રોલૉઇડ

2 ભારતીય પ્રજા જીવનેને સમૃદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

         A નદીઓનો                 B  વન્ય જીવનનો  

          C  પર્વતોનો                D  વનસ્પતિનો

3 કૂચીપુડી નૃત્ય કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

        A રાજસ્થાન                B ઓરિસા   

        C કેરળ                                 D  આંધ્રપ્રદેશ

4 સંસ્કૃત સાહિત્યના પ્રથમા પંક્તિના શ્રેષ્ઠ નાટયકાર

        A મહાકવિ ભાસ                           B કવિ ભારવિ                  

        C મહાકવિ કાલિદાસ                    D મહાકવિ ભવભૂતિ

5 નીચેનામાંથી કઇ કૃતિ મહાકવિ ભવભૂતિની નથી ?

          A દૂતવાક્યમ્                             B  મહાવિરચરિતમ્               

          C  માલતીમાધવ                       D  ઉતરરામચરિત

6 કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજયમાં આવેલું છે ?

           A  તમિલનાડુ                             B  ગુજરાત    

          C  મધ્યપ્રદેશ                              D  ઓરિસ્સા

7 અમદાવાદમાં સારંગપુર દરવાજા બહાર આવેલું કયું સ્થાપત્ય દુનિયામાં જાણીતું છે ?

           A  ઝૂલતા મિનારા                      B બાદશાહનો હજીરો

          C  ગોળ ગુંબજ                            D લાલ બાગની મસ્જિદ

8 બૃહદેશ્વર મંદિર માટે નીચેનું કયું વિધાન સાચું છે ?

           A  તે ભારતનું સૌથી મોટું મંદિર છે                              

           B  તે ઓરિસ્સામાં આવેલું છે      

           C  તેનો પડછાયો જમીન પર પડતો નથી            

            D  તે સંગેમરમરનું બનેલું છે

9 ભારતના બંધારણમાં કેટલી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે ?

         A  12                                          B  15              

         C  18                                          D  24

10 કબીરની રચનાઓ મુખ્ય કઇ ભાષામાં લખાયેલી છે ?

          A  અવધિ                                  B  ભોજપુરી 

          C  સધુંકડી                                  D  પંજકડી

11 નીચેનામાંથી એક જોડકું ખોટું છે. તે શોધીને લખો ?

          A  કવિ કલ્હણ- રાજતરંગિણી                 

          D  શંકરાચાર્ય – ભાષ્ય    

          C  કવિ પમ્પા – આદિપુરાણ                      

          D સોમદેવ – શાંતિપુરાણ  

12 પારાની ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાની શરૂ કોણે કરી હોવાનું મનાય છે ?

          A  નાગાર્જુન                              B  વરાહમિહિર          

           C  આર્યભટ્ટ                                D  ચરક

13 બિહારના ભાગલપુર જિલ્લાના ક્યા સ્થળેથી 7.5 ફૂટ ઊંચી તામ્રમૂર્તિ મળી આવી છે ?

          A  નાલંદા                                 B  તક્ષશિલા 

          C  સુલતાનગંજ                         D રાણીગંજ

14 નીચેના વિધાન પૈકી કયું વિધાન ખરું છે. તે જણાવો ?

           A  વાસ્તુંશાસ્ત્ર એ ગણિતશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            B  વાસ્તુશાસ્ત્ર એ ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            C  જ્યોતિષશાસ્ત્ર એ અર્થશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

            D  વાસ્તુંશાસ્ત્ર એ જ્યોતિષાશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે

15 અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

          A  ગુજરાત                                B  મહારાષ્ટ્ર   

          C  મધ્યપ્રદેશ                             D  કર્ણાટક

16 દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યું છે ?

          A  સાપુતારા                             B  ચોરવાડ    

           C  ચાંપાનેર                             D  દમણ

17 નીચેના પૈકી ક્યું વિધાન ખરું છે. તે જણાવો ?

          A  મહાબલિપુરમ ચેન્નાઇથી 40 કિમી દૂર છે

          B  મહાબલિપુરમને સાત પૈગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે

           C  ચાલુક્ય મંદિરોમાં નાગર અને દ્રવિડ એમ બંને શૈલીનો ઉપયોગ થયો છે

            D  મહાબલિપુરમ વિશ્વભરમાં ધતુશિલ્પ્નાં બેનમૂન સ્થાપત્યો ધરાક છે

18 ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે ?

         A  પુરાતત્ત્વ ખાતાને                  

         B  પ્રવાસન અને પર્યટન ખાતાને

         C  પર્યાવરણ ખાતાને                 

          D  શિક્ષણ ખાતાને

19 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે શોધીને ઉત્તર લખો ?

         A પર્વતીય ક્ષેત્રમાં સીડી દાર ખેતરો બનાવી જમીન ધોવાણ અટકાવી શકાય

          B   પાકની ફેરબદલી અને સિંચાઇ કરીને જમીનનું ધોવાણ અટકાવે શકાય    

          C  ઢોળાવવાળા વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને જમીન ધોવાણ અટકાવી શકાય

           D  પશુઓ દ્વારા થતું ચરાણ અટકાવીને જમીનનું ધોવાણ અટકાવી શકાય

20 નીચેનાંમાંથી  એક જોડકું ખોટું છે. તે શોધીને ઉત્તર લખો ?

         A    રોયલ બેંગલ ટાઇગર – પશ્વિમ બંગાળા     

         B    સિંહ અભયારણ્ય – ગીર     

         C  ઘુડખર –  કચ્છનું મોટું રણ                         

          D    એક શિંગી ગેંડો – અસમ

21 ચિપકો આંદોલનના પ્રણેતા કોન હતા ?

          A   ઇન્દિરા ગાંધી                       B   જવાહરલાલ    

          C  સરદાર પટેલ                        D   સુંદરલાલ બહુગુણા

22 ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે ?

          A   વિજયવાડા                          B   દેલવાડા 

          C  વાંસદા                                  D  દાંતીવાડા

23 તેલિબિયાંમાં સૌથી વધુ મહત્વનું સ્થાન ક્યો પાક ધરાવે  છે ?

          A   સોયાબીન                            B   મગફળી   

          C  તલ                                       D   સરસવ

24 નીચેનાંમાંથી એક વિધાન ખરું  નથી. તે શોધીને લખો ?

           A   પંજાબને ઘઉંનો કોઠાર કહે છે

           B   પશ્વિમ બંગાળાને સોનેરી રેસાનો મુલક કહે છે      

            C   ભારતમાં ગુજરાત શેરડીના ઉત્પાદનમાં પ્રથમ છે

            D  ગુજરાતના ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે

23 ભારતના કેટલા ટકા શહેરોને પીવાલાયક પાણી મળતું નથી ?

            A    8%                                    B   12%         

            C   13%                                   D   18%

24 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

           A   કૃષ્ણા નદી મુખત્રિકોણ પ્રદેશ – આંધ્ર પ્રદેશ   

           B   મહાનદી મુખત્રિકોણ પ્રદેશ – ઓરિસ્સા      

           C   ગોદાવરી નદી મુખત્રિકોણ પ્રદેશ – ગુજરાત   

           D  કાવેરી નદી મુખત્રિકોણ પ્રદેશ – તમિલનાડુ

25 હઝારીબાગ શાની ખાણો માટે જાણીતું છે ?

          A  તાંબાની                                B   અબરખની            

          C  મૅગેનીઝની                           D   લોખંડની

26 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

         A   લોખંડ – ઝારખંડ                    B   અબરખ – ઉત્તર પ્રદેશ       

         C   બૉક્સાઇટ – ઓરિસ્સા             D   ચૂનાનો પથ્થર – મધ્ય પ્રદેશ 

27 ઝરિયા અને રાણિગંજ શાના ઉત્પાદન માટે જાણીતા છે ?

          A   કુદરતી વાયુ                        B    કોલસો       

          C   ખનીજતેલ                           D   બાયોગૅસ

28 વિશ્વમાં સૌથી વધુ ઊર્જા સામાંથી મેળવે છે ?

           A  ખનીજ તેલમાંથી                   B   પરમાણુ શક્તિમાંથી   

           C   ખનીજ કોલસામાંથી              D  કુદરતી વાયુમાંથી

29 નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A   દિગ્બોઇ રિફાઇનરી – અસમ           

          B   હલ્દિયા રિફાઇનરી – અરુણાચલ પ્રદેશ     

          C   કોયલી રિફાઇનરી – ગુજરાત    

          D   બરૌની રિફાઇનરી – બિહાર

30 નીચેનામાંથી ક્યા સ્થળે રેલવે એન્જિન બનાવવાનું કારખાનું આવેલું છે ?

          A  જયપુર                                  B  લખનૌ          

          C  ઇંદોર                                    D  વારાણસી

31 નીચેનામાંથી ક્યા સ્થળે ગરમ કાપડની મિલો આવેલી છે ?

           A   અમૃતસર                            B    જયપુર        

           C    કંડલા                                 D     અજમેર

32 ક્યા યાત્રાધામ ખાતે યાત્રીકોની સુવિધા માટે રોપ-વે બનાવ્યો છે ?

          A  જૂનાગઢ                                B   સાપુતારા

          C    સોમનાથ                             D  અંબાજી

33 ભારતની પૂર્વ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

          A  હાજીપુર                                B  હુબલી       

           C  માલેગાંવ                             D  ઇન્દોર

34 નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો ?

          A  પૂર્વ રેલવે – કોલકાતા           B  દક્ષિણ રેલવે – ચેન્નાઇ

          C   પશ્વિમ રેલવે – મુંબઇ            D  ઉત્તર રેલવે – જયપુર

35 આર્થિક ર્દષ્ટિએ ભારત કેવો દેશ છે ?

         A  વિકસિત                                 B   સમૃદ્ધ        

         C  વિકાસશીલ                            D  અલ્પવિકસિત

36 વિકાસશીલ દેશોની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યું છે ?

          A  ભાવ વધારો                           B  ગરીબી      

          C   નીચી માથાદીઠ આવક           D  વસ્તી વધારો

37  મિશ્ર અર્થતંત્રમાં નીચેના પૈકી કઇ એક મર્યાદા જોવા મળે છે ?

         A  આર્થિક સાતત્યનો અભાવ     

         B   બિનકાર્યક્ષમતા             

        C  આર્થિક અવ્યવસ્થા                        

         D  ઉત્પાદનાના સાધનોનો બગાડ

38 આર્થિક ઉદારીકરણની નીતિ એ  કેવા બજારની આર્થિક નીતિ છે ?

          A  અંકુશિત                               B  જથ્થાબંધ

          C  છૂટક                                    D  મુક્ત

39 વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે ?

         A  વિદેશની નાણાંકીય નીતિ      B   રાજકોશીય નીતિ

          C  ઔદ્યોગિકનીતિ                      D  વિદેશવ્યાપાર અંગેની નીતિ

40 ગરીબી ઉદભવના સામાજિક કારણોમાં એક કારણ ખોટું છે તે જણાવો ?

          A  નિરક્ષરતા                             B  મોટાં કુટુંબની ઝુબેશ   

          C  સંગઠનનો અભાવ                  D  સામાજિક પછાત પણું

41 આયોજનાના પાંચ દાયકા દરમિયાન ભારતના આર્થિક  વિકાસનો દર કેટલા ટકા રહ્યો છે ?

          A  3.5 થી 4 %                             B  6 થી 6.25%         

          C  4 થી 4.5 %                              D  3 થી 3.5 %

42 ભારતમાં ખેત આધારી ચીજવસ્તુઓ સિવાયની ચીજવસ્તુઓને પ્રમાણીત કરવા …. માર્ક વપરાય છે ?

          A  આઇ.એમ.એસ.                      B  આઇ.એસ.આઇ.  

           C  એફ.એસ.આઇ.                       D  એગમાર્ક

43 ગ્રાહક અધિકારોની ઘોષણા કઇ સાલમાં કરવામાં આવી હતી ?

           A  ઇ.સ. 1962 માં                      B  ઇ.સ. 1972 માં   

           C  ઇ.સ. 1947 માં                      D  ઇ.સ. 1968 માં

44 મહિલા સશક્તિકરણની નીતિ ભારત સરકારે ક્યા વર્ષમાં અમલમાં મૂકી ?

          A  ઇ.સ. 1991                            ઇ.સ. 2001         

          C  ઇ.સ. 2002                            D  ઇ.સ 1992

45 ગુજરાતમાં કન્યા-કેળવણીના ઉત્તેજન માટે કઇ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

            A સરસ્વતી બૉન્ડ                    B  નર્મદા બૉન્ડ

             C  મહિલા બૉન્ડ                      D  વિદ્યાલક્ષ્મી બૉન્ડ

46 ભારત માનવવિકાસ સૂચક આંકમાં વિશ્વના દેશોમાં કેટલામાં ક્રમે છે ?

          A  139                                       B  127            

          C  137                                       D  120

47 ભારતેની સામાજિક સંરચના શેના પર આધારીત છે ?

          A  સાંપ્રદાયિકતા                       B  ધર્મ                        

          C  જૂથવાદ                                D  જ્ઞાતિવાદ

48 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદી વિસ્તારમાં રહેતા લોકો અન્ય પ્રદેશમાં ધંધાર્થે જાય છે

          B  આતંકવાદને લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે

          C  આતંકવાદના કારણે ભ્રાતૃભાવના ઓછી થતી જાય છે

           D  આતંકવાદ સમાજને સંગઠન તરફ દોરી જાય છે

49 સંયુક્ત રાષ્ટ્રોએ ઇ.સ. 1981ના વર્ષને ક્યા વર્ષ તરીકે જાહેર ર્ક્યું છે ?

         A   આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ                                   

         B  આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ    

         C  આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ                 

          D  આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ

50 સરકાર કેટલા વર્ષ સુધી વિકલાંગોને મફત શિક્ષણ આપે છે ?

          A  21 વર્ષ                                 B  18 વર્ષ               

           C  17 વર્ષ                                D  22 વર્ષ

 

પાવર પોઇન્ટ – વિજ્ઞાન અને ટેકનોલૉજી


વિજ્ઞાન અને ટેકનોલૉજી

 

પાવર પોઇન્ટ આપણા વારસાનું જતન


આપણા વારસાનું જતન

 

પ્રશ્નપત્ર – 8


1 પ્રાચીન ભારતની સંસ્કૃતિ માત્ર સર્વાંગસુંદર જ ન હતી પરંતું

        A તે ઉધોગપ્રધાન હતી                   B તે ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી     

        C તે માત્ર ધર્મપ્રધાન હતી               D તેમાં કોઇ આધ્યાત્મિક વિચાર ધારા જ ન હતી

2 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

       A   રાજમહેલો,કિલ્લાઓ વગેરી             B   સ્તોપો,ચૈત્યો વગેરે     

        C   નદીઓ,વૃક્ષો વગેરે                            D   મંદિરો,મસ્જિદો વગેરે

3 ગુજરાતમાં જરદોશીવર્ક ક્યા થાય છે ?

       A  પાલનપુર       B  સુરત             C  ખંભાત            D જામનગર

4 ભરત નાટયમ્ કયા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?          

      A આંધ્ર પ્રદેશ      B ગુજરાત       C ઓરિસા                D તમિલનાડુ

5 એક મંદિર છે. જેનો આકાર રથ જેવો છે. તેને બાર પૈડા છે. અને જેને સાત ઘોડા ખેંચી રહ્યા છે ?

       A  કોર્ણાર્કનું સૂર્યમંદિર                              B  મોઢેરાનું સૂર્યમંદિર

       C  ખજૂરાહોનુંમંદિર                                  D  કૈલાસનાથ મંદિર

6   ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવરૂપ ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ કયા સ્થળે આવેલી છે ?

         A  નાલંદા                B  થંજાવુર                C  મથુરા                 D  કાંચીપુરમ્

7 ગુજરાતમાંથી મળી આવેલું હડ્પ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં

   આવેલું છે ?

       A  કચ્છ         B  બનાસકાંઠા           C  જૂનાગઢ               D  સાબરકાંઠા

8 સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?

       A  ભારવિ       B  પાણિનિ               C  બાણભટ્ટ               D અશ્વઘોષ

9  વિજયનગરનો ક્યો સમ્રાટ તેલુગ અને સંસ્કૃતનો લેખક હતો ?

         A  હરિરાય      B  રામેશ્વરરાય        C  બુક્કારાય          D  કૃષ્ણદેવરાય

10 ભારતીય વૈદશાસ્ત્રના મહાન પ્રણેતા કોણ હતા ?

         A  ચંદ્રગુપ્ત અને સમુદ્રગુપ્ત                B  આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત 

          C  ચરક અને સુશ્રુત                             D  વિક્રમાકદેવ અને કુમારપાળ

11 મહર્ષિ સુશ્રુતે કયો મહત્વનો ગ્રંથ લખ્યો હતો ?

        A  સુશ્રુતતંત્ર       B  સુશ્રુતસંહિતા      C સુશ્રુતશાસ્ત્ર         D સુશ્રુત આચાર સંહિતા

12 વિરુપાક્ષનું મંદિર ક્યાં આવેલું છે ?

         A  થંજાવુરમાં      B  મહાબલિપુરમાં   C  પટ્ટદકલમાં       D  વિજયનગરમાં

13 આગરાનો પ્રખ્યાત કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

          A  હુમાયુ         B  શાહજંહા         C  ઔરંગઝેબ        D  અકબર

14 શાહ્જંહાએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા ?

        A  આગરાનાકિલ્લામાં    B  દિલ્લીના     C  લાહોરીકિલ્લામાં      D  શાહીકિલ્લાંમાં

15 વન્ય જીવન અંગેના કાયદા નીચે આમાંનો કયો વિસ્તાર આવરી લેવામાં આવ્યો નથી ?

       A  જૈવ આરક્ષિત ક્ષેત્ર    B અભયારણ્ય     C  રાષ્ટ્રીઉધાન          D સંગ્રાહલય

16 આપણાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો કોનાં આકષર્ણનાં કેન્દ્રો બન્યા છે ?

          A  પર્યાવરણવાદીઓના                     B  સમાજશાસ્ત્રીઓના                  

           C  પર્યટકોના                                       D  પાડોશીદેશોના

17 નીચેના વિધાન પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

          A  વિવિધતામાં એકતાનું સર્જન અને દર્શન ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે   

           B  સ્વામી રામદાસે શિકાગોમાં  મળેલી વિશ્વધર્મ  પરિષદને સંબોધી હતી

           C  પ્રાચીન ભારતના જ્યોર્તિધરોએ સમગ્ર દેશને ભારતવર્ષ નામ આપ્યું હતું

            D  પૃથ્વી પરના સૌ જીવો પ્રત્યે આપણે સૌ સદભાવ રાખીએ

18 નીચેનામાંથી માનવ-નિર્મિત સંસાધન ક્યું છે ?

            A જળ                         B જંગલો                  C ઇમારતો               D ભૂમિ

19 રણપ્રકારની જમીન ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે ?

       A આંધ્ર પ્રદેશ       B  ઉત્તર પ્રદેશ          C  રાજસ્થાન          D  ગુજરાત

20 ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?

      A સિંહ                B   હાથી                    C    વાઘ                      D  ગેંડો

21 દેવદારનાં જંગલોને બચાવવા કયા રાજયમાં ચિપકો આંદોલન થયું ?

       A   મધ્ય પ્રદેશ       B   છત્તીસગઢ        C   ઉત્તરાખંડ        D  રાજસ્થાન

22 કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજયમાં આવેલો છે ?

         A  અસમ              B    કર્ણાટક             C    મધ્ય પ્રદેશ     D   ઉત્તરાખંડ

23 ભારતમાં સૌથી ઘઊંનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે ?

       A  પંજાબ          B  ઉત્તર પ્રદેશ         C    હરિયાણા         D  મહારાષ્ટ્ર

24 ભારતમાં કયું રાજય સૌથી વધુ ચા પકવે છે ?

       A   અસમ      B   પશ્વિમ બંગાળા       C  કેરળ              D  હિમાચલ પ્રદેશ

25 કૉફીના વધુ ઉત્પાદન માટે  ક્યો પ્રદેશ જાણીતો છે ?

          A   કૂર્ગ          B   ચરોતર                   C   કોરોમંડલ     D    દાર્જિલિંગ

26 બીજી સદી દરમિયાન કાવેરી નદી પર કઇ યોજનાનું નિર્માણ થયુ હતું ?

         A   ગ્રેન્ડ કેન્યા નહેર  B   ગ્રન્ડ ઍનિકટ નહેર         C  આંધ્રનહેર    D  ઇન્દિરા નહેર

27 ભારતમાં સ્વાતત્ર્ય બાદ સિંચાઇ-ક્ષેત્ર વધીને કેટલું થયુ છે ?

           A  દોઢ ગણું   B   અઢી ગણું     C    ચાર ગણું     D   ત્રણ ગણું

28 નીચેનાંમાંથી ક્યું જોડકું ખોટું છે તે જણાવો ?

           A   ભાખડા-નાગંલ યોજના – સતલુજ                 B    હીરાકુંડ યોજના – મહાનદી  

           C    નાગાર્જુન યોજના – ગોદાવરી નદી              D    કૃષ્ણરાજસાગર યોજના – કાવેરી નદી

29 કઇ ધાતું વિદ્યુતનું ઉત્તમવાહક છે ?

          A   ચાંદી              B   લોખંડ             C   તાંબું                 D   અબરખ

30 ગુજરાતમાં ક્યા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે ?

          A  પાલનપુર  B   જૂનાગઢ  C  જામનગર D    અમરેલી

31 નીચેનાં વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A   મૅંગેનીઝનો વધુ ઉપયોગ પોલાદ બનાવવામાં થાય છે    

          B   તાંબુ ખૂબજ કંઠણ અને સખત ધાતું છે

          C    સીસાની ધાતુને ખનીજ ગેલેના કહે છે

          D   બૉક્સઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે

32 ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં ક્યો દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?

           A    ઇરાન         B   યૂ. એસ.              C રશિયા           D  સાઉદી અરેબિયા

33 દેશમાં ગુજરાતમાં વધુ શું મળે છે ?

          A   પવનશક્તિ        B   ભરતીશક્તિ        C   ગોબરગૅસ    D    સૂર્યશક્તિ

34 નીચેનામાંથી કઇ વસ્તુના ઉત્પાદનમાં પેટ્રોરસાયણનો ઉપયોગ થતો નથી ?

         A  રંગ                B   તાંબું              C   રસાયણ               D  કૃત્રિમ રબર

35 નીચેનામાંથી  એક જોડકું ખોટું છે ઉત્તર શોધી લખો ?

          A     રેલવે એંજિન – ચિત્તરરંજન           B   જહાજ બાંધ કામ – કંડલા  

          C    રેલવે દબ્બા – પેરામ્બુર                 D  હવાઇ જહાજ – કોરાપુટ

36 ભારતે 2004-5માં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો ?

          A આર્યભટ્ટ       B   એપોલો         C    ઍજ્યુસેટ              D   રોહિણી

37 સૌરાષ્ટ્ર સાગર કિનારાને સાંકળતો ધોરી માર્ગ ક્યા નામે ઓળખાય છે ?

          A  મેટ્રો હાઇવે        B  કોરીડોર હાઇવે      C  સાગર હાઇવે         D  કોસ્ટલ હાઇવે

38 ક્યા અર્થતંત્રમાં બજારો સંપૂર્ણ મુક્ત હોય છે ?

         A   સમાજવાદી        B   મિશ્ર                        C  સામ્યવાદી          D   મૂડીવાદી

39 ઉત્પાદનના સાધનોમાં જે  બંધબેસતું ન હોય તે દર્શાવો 

       A  જમીન                 B  મૂડી                               C   શ્રમ                    D  બજાર

40 આર્થિક ઉદારીકરણની નીતિથી કયો એક લાભ થાયો છે ?

          A  કૃષિક્ષેત્રે વિકાસ વધે છે                          B  અસમાનતામાં ઘટાડો થાય છે

           C   સરકારનું દેવું વધે છે                           D   ભાવવધારો અંકુશમાં આવે છે

41 જંતુનાશક દવાનો વિકલ્પ ક્યા દેશમાં શોધવામાં આવ્યો છે ?

         A  યુ.એસ.એ.             B  રશિયા                C  જાપાન                D  બ્રાઝીલ

42 ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ ક્યું છે ?

          A  રૂઢિચુસ્તા         B   અલ્પ વિકાસ         C   બેરોજગારી        D  વસ્તી વધારો

43 કઇ યોજના હેઠળ ગ્રામ્યવિસ્તારોમાં ગરીબોને મકાનની જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ?

        A  રાષ્ટ્રીય મકાન બાંધકામ યોજના           B  રાષ્ટ્રીય ગ્રામીણ આવાસ બાંધકામ   

         C  પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના    D  મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ યોજના

44સરકારે ……. નાંપુરવઠામાં કરેલો વધારો ભાવવૃદ્ધિનું કારણ છે ?

       A  ચીજવસ્તુઓ      B   કાચામાલ             નાણાં          D  સેવાઓ

45 એગમાર્કનો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

         A  ઇ.સ. 1937માં     B  ઇ.સ. 1947માં     C  ઇ.સ. 1967માં        D  ઇ.સ. 1972માં

46 માનવવિકાસ આંકનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો છે ?

         A  WHO          B  UNDP                C  UNO            D  UNICEF

47 જીવનઘોરણ કોના દ્વારા મપાય છે ?

         A  વાર્ષિક આવક દ્વારા                           B   દૈનિક આવક દ્વારા     

          C  માથાદીઠ આવક દ્વારા                      D  રાષ્ટ્રીય આવક દ્વારા

48 આતંકવાદ કઇ સમસ્યા છે ?

         A  પ્રાદેશિક               B  વૈશ્વિક        C  પ્રાંતિક              D  રાષ્ટ્રીય

49 નીચેનામાંથી એક વિધાન ખરું નથી તે શોધી ઉત્તર લખો ?

          A  આતંકવાદ અને બળવાખોરી વચ્ચે પાતળી ભેદરેખા છે

           B  ભારતે કદાપી આતંકવાદનો બચાવ ર્ક્યો નથી

            C  અસમ ઘણાં બળવાખોર સંગઠનોથી પ્રભાવીત છે

            D  બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે

50 વૃદ્ધાવસ્થામાં ભવિષ્ય કેવું છે ?

         A  ઉજ્જવળ       B  અંધકારમય            C  સહાયક        D  અસહાય