RSS

Monthly Archives: ઓક્ટોબર 2011

શુભ દિપાવલી – નુતન વર્ષ અભિનંદન


 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 26, 2011 માં વિજ્ઞાન

 

જીવનનો કક્કો


કર્મ કરતા રહો

ખરાબ ન બનો

–  ગર્વ ન કરો

ઘમંડ ન કરો

ચિડાશો નહિ

છળ- કપટથી દુર રહો

જબરા બનો

ઝગડો ન કરવો

ઠગાઇ ન કરો

ડરપોક ન બનો

ભણવામાં ઢ ન રહો

તિરસ્કાર કોઇનો ન કરશો

થોડામાં સંતોષ માનો

દયાવાન બનો

ધગશ રાખો

નમ્ર બનો

પારકી પંચાત ન કરો

ફુલણશી ન બનો

બહાદુર બનો

ભારરૂપ ન બનો

મધુર બનો

યશ મેળવો

રમુજી બનો

લાલચુ ન બનો

વિદ્યાવાન બનો

કોઇને શત્રુ ન માનશો

ષડયંત્ર ન કરો

સત્ય બોલો

હસતા રહો

આળસ ન કરશો

ક્ષ ક્ષત્રિય બનો

જ્ઞ જ્ઞાની બનો

 
3 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 20, 2011 માં સુવિચારો

 

મને એજ સમજાતું નથી


મને એજ સમજાતું નથી શીદને આવું થાય છે ?

સકારી શાળા ટૂટતી જાય છેને સ્વનિર્ભર શાળા ફૂટતી જાય છે…

કોઇ કોમ્પલેક્ષમાં તો કોઇ શેરીઓમાં શરૂ થઇ જાય છે. મને….

તાલીમ કે પ્રોગ્રામ એક વિધિ બની રહી જાય છે,

ચા-પાણીને નાસ્તો કરી બધા છૂટા પડી જાય છે. મને …

વેકેશન ખૂલતા જ બાળકોની મોજ મરી જાય છે,

ભણાવવાના ભોગે ઢગલો હોમવર્ક આપી જાય છે.

બાળકોને માબાપનું આ વૈતરું બની જાય છે. મને…

દફતરોનો આ ભાર ગધેડાની જેમ વેંઢારતા જાય છે,

ઢળતી જવાનીમાં એ કમરનો કસ કાઢી જાય છે.મને..

થયું વર્ષ પુરુને પરીક્ષાની બીક આપી જાય છે.

કોઇ હતાશ તો કોઇ આત્મહત્યા કરી જાય છે. મને

ટ્યુશનિયા શિક્ષકો ભૂલકાંઓને ભરમાવી જાય છે.

 વહાલાઓ  સારા માર્કસે પાસને બીજા પાછળ રહી જાય છે.

મને એ સમજાતું નથી શીદને આવું થાય છે ?

 ડો. પ્રદ્યુમનસિંહ જે વાઘેલા,

 

 
1 ટીકા

Posted by on ઓક્ટોબર 9, 2011 માં વાર્તા

 

પ્રશ્નપત્ર – 25


1 પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે

      A   રાજમહેલો,કિલ્લાઓ વગેરી             B   સ્તોપો,ચૈત્યો વગેરે     

      C   નદીઓ,વૃક્ષો વગેરે                          D   મંદિરો,મસ્જિદો વગેરે

2 સંસ્કૃતિનું સાતત્ય અને અસ્તિત્વ કેવું છે?

       A પરાવલંબી             B સ્વાવલંબી              C  પરસ્પરાવલંબી           D એકપણ નહિ

3 ઓડિસી નૃત્યપ્રકાર ક્યા પ્રદેશ સાથે સંકળાયેલ છે ?

        A  ઓરિસા                B  કેરળ                      C  આંધ્રપ્રદેશ                   D  ગુજરાત

4 શોભાનાયડુ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા છે?

       A  કૂચીપૂડી                B  ભરતનાટ્યમ્          C કથક                           D મણિપુરી

5 મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઇ છે ?

       A  મહાબલિપુરમ્       B  સોમનાથ               C પેગોડા                        D  સાંચીનો સ્તુપ

6 નીચેમાંથી ક્યા પંથે ગાંઘાર શૈલીને ઉજાગર કરી ?

       A શ્વેતાંબર                   B દિગંબર                  C હીનયાન                     D મહાયાન

7 ઉર્દૂ ભાષાના મહાન કવિ કોણ હતા ?

        A  ગાલીબ                 B મહમદ કાઝીમ       ખાફીખાન                  D  સુજાનરાય

8 મધ્યકાળમાં સંપૂર્ણ ઉત્તર ભારત અને દક્ષિણના નગરોની ભાષા કઇ બની હતી ?

        A  અરબી                  B  ફારસી                   C ઉર્દૂ                              D હિન્દી

9 છેલ્લો મુઘલ સમ્રાટ કોણ હતો ?

       A ઔરંગઝેબ               B શાહજહાં                 C જહાંગીર                     D બહાદુરશાહ ઝફર

10 શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનભંડાર (લાઇબ્રેરી) ક્યા શહેરમાં આવેલી છે ?

       A  વિસનગર             B  અમદાવાદ             C  સુરત                         D  પાટણ

11 ઇરિંગોલકાવૂ ઉપવન કયા જિલ્લાક્માં આવેલુ છે ?

        A  કેરલ                     B  કર્ણાટક                  C  એર્નાકુલમ                  D બેલ્લારી

12 લીલાવતી ગણિતની રચના કોણે કરી હતી ?

        A  બૌદ્ધાયાને            B  વાગ્ભટ્ટે                   C  આર્યભટ્ટે                     D  ભાસ્કરાચાર્યે

13 હડપ્પીય સંસ્કૃતિમાંથી મળેલ ધાતુવિદ્યાનો નમૂનો નીચેમાંથી ક્યો છે ?

        A નટરાજનું શિલ્પ                              B ધનુર્ધારી રામનું શિલ્પ

        C નર્તકીની પ્રતિમાં                             D સૂડીઓ

14 મધ્ય પ્રદેશમાં કઇ નદીની ખીણમાં કોતરો વધુ જોવા મળે છે ?

       A ચંબલ                     B  બેતવા                   C   શોણ                         D  કેન

15 ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?

        A  મહાબલિપુરમ્       B હમ્પી                      C ખજૂરાહો                     D  પટ્ટદકલ

16 નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે. તે જણાવો ?

        A  તાજમહલ બાંધતા દસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો

        B  ફતેપુરસિકરીની ઇમારતને જોધાબાઇનો મહેલ કહે છે      

        C  તાજમહલની મધ્યમાં શાહજાહાંની કબર છે

        D  ફતેપુરસિકરીનો બુલંદ દરવાજો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો છે

17 2 થી 9 ઑકટોબર દરમિયાન શું ઊજવવામાં આવે છે ?

       A વનમહોત્સવ                                    B  વિશ્વ પ્રકૃતિ સપ્તાહ        

      C  વન્ય પ્રાણી સપ્તાહ                          D પર્યાવરણ સપ્તાહ

18 ભારતના દરિયા કિનારે આવેલા જંગલો એટલે ?

       A બિનવર્ગીકૃત જંગલો                         B મેનગ્રોવ જંગલો

      C સંરક્ષિત જંગલો                                 D ખુલ્લા જંગલો

19 ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કયા જીલ્લામાં સૌથી વધુ થાય છે ?

       A    ભાવનગર             B  જૂનાગઢ               C   અમરેલી                    D  રાજકોટ

20 વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે ?

       A 25 ટકા                    B 5 ટકા                     C 20 ટકા                       D 23 ટકા

21 નીચે દર્શાવેલા સિંચાઇના મધ્યમમાં એક ખોટું છે તે શોધીને લખો ?

       A  કૂવા                      B    નદીઓ                 C   તળાવો                    D  અખાતો

22 ખનીજોમાં સૌપ્રથમ કઇ ખનીજ ઉપયોગમાં આવી હશે ?

       A લોખંડ                      B સોનું                    C તાંબુ                             D પિત્તળ

23 નીચેનામાંથી કઇ ધાતું હલકી નથી ?   

       A   મૅંગેનીઝ              B   બૉક્સાઇટ              C   પ્લેટિનમ                  D  ટીટાનિયમ

24 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂઆત ક્યારે થઇ ?

      A    1954                     B   1945                    C   1975                        D   1956

25 નીચેનામાંથી ક્યું ઊર્જાસ્ત્રોત બિનવ્યાપારિક નથી ?

       A જલાઉ લાકડું           B લક્કડીયો કોલસો    C છાણ                            D ખનીજતેલ

26 બ્રિટનના સહકારથી લોખંડ-પોલાદનું ક્યું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?

       A  રાઉલકેલા               B   બોકારો                C  ભિલાઇ                      D  દુર્ગાપુર

27 બજાજ ઓટો એ ક્યા ક્ષેત્રનો ઉદ્યોગ છે ?

       A સંયુક્ત                    B જાહેર                     C ખાનગી                       D સહકારી

28 ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર ક્યું છે ?

      A  હલ્દિયા                   B   કંડલા                   C   મુંબઇ                       D   કોલકાતા

29 ભારતની દક્ષિણ મધ્ય-રેલવેનું મુખ્યાલય ક્યા શહેરમાં છે ?

        A  ગાઝિયાબાદ         B  ગોરખપુર               C  સિકંદરાબાદ             D  અમદાવાદ

30 સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે ?

        A  નિયોજકની           B   બજારતંત્રની        C   રાજયની                   D   આયોજનપંચની

31 આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ?

        A   વિસ્તૃત                 B  મર્યાદિત              C  સામાજિક                    D  સંકુચિત

32 બજાર પદ્ધતિમાં સૌથી વધુ મહત્વ કોને હોય છે ?

       A બજાર                     B શ્રમ                         C મૂડી                            D વેપાર    

33 બજારતંત્ર દ્વારા આર્થિક નિર્ણયો લેવામાં આવે તેવી વ્યવસ્થા એટલે……. 

       A કાનગીકરણ            B વૈશ્વિકીકરણ            C બજારતંત્ર                    D ઉદારીકરણ

34 વિશ્વભરમાં ક્યા દિવસને પર્યાવરણદિન તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

        A  10 ડિસેમ્બર          B  5 જૂન                     C  21 ઑક્ટોબર             D  15 માર્ચ

35 કઇ યોજના દ્વારા શહેરી વિસ્તારમાં રહેતા ગરીબોને પાકા મકાનો બાંધવા માટે સહાય આપવામાં આવે

         છે ?

       A  અંત્યોદય યોજના                            B  પ્રધાનમંત્રી આવાસ યોજના      

        C  રાષ્ટ્રીય આવાસ યોજના                 D  વાલ્મીકી-આંબેડકર આવાસ યોજના

36 માનવ સંસાધન વિકાસ કાર્યક્રમોથી ક્યા રાજ્યમાં ગરીબી ઘટી છે ?

       A ઓરિસ્સા                 B અસમ                     C બિહાર                        D ગુજરાત

37 જથ્થાબંધ ભાવાંકમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે ?

       A 360                         B 540                        C 460                           D  245

38 બજારનો રાજા કોણ ગણાય છે ?

       A  વેપારી                  B  વિક્રેતા                   C  ઉત્પાદક                    D  ગ્રાહક

39 એગમાર્ક અને ISI માર્ક વાપરવાની પરવાનગી કોણ આપે છે ?

       A  DMI                      B  MDI                       C  IMD                           D  CAC

40 CAC ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

       A ઇ.સ. 1963              B ઇ.સ. 1886             C ઇ.સ. 1955                   D ઇ.સ. 1947

41 ભારતમાં ઇ.સ. 2001માં જન્મદર પ્રતિહજાર વ્યક્તિએ કેટલો હતો ?

       A  22.4%                    B  25.0%                   C  28.5%                        D  40.5%

42 ઇ.સ. 2001માં ભારતમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો હતો ?

       A  62.50                    B  63.57                    C  54.16                         D  59.97

43 માનવવિકાસ અહેવાલ 2005 મુજબ ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 57 દેશોમાં યુ.એસ.એ. …ક્રમે છે  ?

        A  પાંચમાં                B  દસમાં                    C  આઠમાં                      D  સાતમાં

44 વિશ્વમાં ક્યા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે ?

       A જાપાન                   B સ્વીડન           C નોર્વે                                   D સ્વીટ્ઝર્લેન્ડ

45 ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે ?

       A  વસ્તીવધારો        B  સાંપ્રદાયિકતા          C  વ્યક્તિવાદ               D  સામ્યવાદ

46 ભારતમાં કઇ પ્રજા બહુમતીમાં છે ?

        A  હિંદુઓ                   B  ખ્રિસ્તીઓ              C  જૈનો                          D  મુસ્લિમો

47 બંધારણના ક્યા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીયોમાં અનામતની જોગવાઇ કરવામાં આવી છે ? 

       A   13(3)                    B  16 (4)                   C  16 (6)                        D  19 (4)

48 અનુસૂચિતજાતિઓ અને જનજાતિઓ માટે અત્યારે કેટલી યોજનાઓ ચાલે છે ?

       A 184                        B 195                         C 194                           D 185

49 નીચેના પૈકી ક્યો દેશ વિશ્વના નહિવત પાંચ ભ્રષ્ટ્રાચારી દેશોમાંનો એક દેશ છે ?

         A  ઇંગ્લેન્ડ                B  ફ્રાંન્સ                       C  અમેરિકા                    D  ડેન્માર્ક

50 લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના ક્યારે થઇ ?

        A ઇ.સ 1964              B ઇ.સ 1988                   C ઇ.સ 1992                 D ઇ.સ 1981

 
2 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 1, 2011 માં પ્રશ્ન બેંક